વડોદરા : લક્ષ્મીપુરા વિસ્તારના તળાવમાં કાર ખાબકતાં 2 પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત...

કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

New Update
  • વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની ચકચારી ઘટના

  • લક્ષ્મીપુરા વિસ્તારમાં મોડી રાત્રે કાર તળાવમાં ખાબકી

  • કારમાં સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત નીપજ્યું

  • અન્ય એક યુવક કારમાંથી બહાર નીકળી આવતા બચાવ

  • બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાર તળાવમાં ખાબકી હતીત્યારે કારમાં સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી અનુસારવડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક ક્રેટા કાર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. લગભગ 100થી 120ની સ્પીડે દોડી રહેલ આ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી જ તળાવમાં જઈને ખાબકી હતી.

આ દરમ્યાન કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતોઅને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જોકેમોડી રાત્રે ફાયર વિભાગને બનાવની જાણ કરાતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુંઅને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વિસ્તારના નગરસેવક તેમજ સામાજિક કાર્યકરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.