વડોદરામાં વૃદ્ધ દંપતી વચ્ચે મિલકતનો ઝઘડો લોહિયાળ બન્યો, પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ

ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની પોલીસે અટકાયત કરી

New Update
Vadodara Firing

વડોદરા શહેરમાં રહેતા નિવૃત એરફોર્સકર્મી અને તેના પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો મિલ્કતનો ઝઘડો લોહિયાળ બન્યો હતો. માંજલપુર વિસ્તારમાં મકાનનો કબજો લેવા પત્ની પહોંચતા પતિ સાથે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હરમિંદર શર્મા એરફોર્સમાંથી અને ONGCમાંથી નિવૃત થયેલા છે. હરમિંદર અને તેમના પત્ની નિલમ શર્મા વચ્ચે લાંબા સમયથી મિલ્કતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories