વડોદરા : મનપા તંત્રને જગાડવા સામાજિક કાર્યકરે વુડા સર્કલ નજીક મહાકાય ભુવામાં શ્રીફળ-ચુંદડી વધેરીને વિરોધ દર્શાવ્યો...

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

New Update

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવા નગરી બની છે. 4 દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ નજીક પડેલા ભુવાએ શહેરના સૌથી મોટા ભુવા તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ આજ દિન સુધી આ ભુવાને પુરવાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે ભુવા નજીકPM મોદીનો ફોટો લગાવી ભુવામાં શ્રીફળ વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અણગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે.

ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગામડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા છે. વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છેત્યારે ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે. પરંતુ એક સામાજિક કાર્યકારની દ્રષ્ટિએ તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરાયો છે. જોકેવહેલામાં વહેલી તકે આ ભુવો પુરવામાં આવે. કારણ કેઅહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છેઅને જો કદાચ જાનહાની થાય અથવા પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..તેવા સવાલો સાથે સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.