વડોદરા : મનપા તંત્રને જગાડવા સામાજિક કાર્યકરે વુડા સર્કલ નજીક મહાકાય ભુવામાં શ્રીફળ-ચુંદડી વધેરીને વિરોધ દર્શાવ્યો...

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

New Update

વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવા નગરી બની છે. 4 દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ નજીક પડેલા ભુવાએ શહેરના સૌથી મોટા ભુવા તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ આજ દિન સુધી આ ભુવાને પુરવાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે ભુવા નજીકPM મોદીનો ફોટો લગાવી ભુવામાં શ્રીફળ વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અણગઢ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે.

ભારે વરસાદને કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગામડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા છે. વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છેત્યારે ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે. પરંતુ એક સામાજિક કાર્યકારની દ્રષ્ટિએ તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરાયો છે. જોકેવહેલામાં વહેલી તકે આ ભુવો પુરવામાં આવે. કારણ કેઅહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છેઅને જો કદાચ જાનહાની થાય અથવા પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ..તેવા સવાલો સાથે સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.