ઈતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજાયો...

ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update

ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓરીજનલ સંસ્થા અને એમ.એસ.યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી” બનાવવામાં આવ્યો છે. આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કેઆલ્બમમાં કુલ 5 ગીતો જેલના પાકા કામના કેદી કિરીટ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે. આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયનુંમહારાજા સયાજીરાવ ગાયકવાડવડોદરાની માટીની ખુશ્બુલાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે.

5 પાંચ પૈકી 2 ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઈન્ડિયન આઈડોલ સ્ટાર શિવમસિંહના કંઠે ગાવામાં આવ્યું છે. અન્ય 3 ગીત વડોદરા સેન્ટ્રલ જેલના પાકા કામના કેદી જયપાલ રાવળ અને કિરીટ ખરાદીએ ગાયા છે. મ્યુઝિકલ આલ્બમનું કંપોઝિશન એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો સ્ટેશનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરા મધ્યસ્થી જેલમાં યોજાયેલા સુરીલી આઝાદીના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના તેમજ ઇન્ડિયન આઇડલ ફ્રેમ શુભમ સિંઘે ઉપસ્થિત બંદીવાનોઅધિકારીઓ તેમજ અતિથિઓનું મન મોહી લીધું હતું. તેઑનો સાથ વડોદરા મધ્યસ્થી જેલના કેદીઓ દ્વારા પણ ગીત ગાઈને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડજેલોના વડા ડો. કે.એલ.એન.રાવવડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુરએમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.