વડોદરા : પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડ્યા, પોલીસે કરી ધરપકડ...

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

New Update

ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા

પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડી પડ્યા

જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડિયો વાયરલ

વિડિયોના આધારે પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી

ગોરવા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૈસાની લેતીદેતીમાં 2 યુવકો જાહેરમાં બાખડતા પોલીસે બન્ને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના ગોરવાITI પાસે આવેલા પ્યાસા પાન પાર્લર નજીક 2 યુવકો જાહેરમાં ઝપાઝપી કરી છૂટા હાથની મારામારી કરતા હતા. જેના પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા હતાઅને ગોરવા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સોહિલ રાઠોડ અને આસિફ ઘોરીની સઘન પૂછપરછ કરી હતી. જેમાં સોહિલ રાઠોડે જણાવ્યું હતું કેઆસિફ ઘોરીને ઉછીના પૈસા આપ્યા હતાતે પરત લેવા માટે આવ્યો હતોતે વખતે આસિફ ઘોરીએ ઝઘડો કર્યો હતોત્યારે હાલ તો આ મામલે ગોરવા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.