વડોદરા : વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં 9 બ્રિજ બંધ કરાયા, SDRFની 3 ટીમ તૈનાત કરાય...

ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે

New Update

ભારે વરસાદના કારણે જળ બંબાકારની સ્થિતિ

ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને થઈ અસર

લોકોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર સજ્જ

વહીવટી તંત્ર દ્વારાSDRFની 3 ટીમ તૈનાત કરાય

લોકોને સલામત સ્થળે સ્વયંભૂ ખસી જવા અપીલ

વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારાSDRFની 3 ટીમને તૈનાત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઈંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું છે. ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છેત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી ગયું છેત્યારે કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ પર હાલમાં પાણી ફરી વળ્યા છે.

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ હાલમાં બંધ કરવાની ફરજ પડે છેતો બીજી તરફશહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિના કારણેSDRFની 3 ટીમને તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોનેSDRFની ટીમ દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારાલોકોને સલામત સ્થળે સ્વયંભૂ ખસી જવામાટે પણઅપીલકરવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.