વડોદરા : પોલીસ ઉપર કરેલા હુમલા બાદ ઘરફોડિયો ઝડપાયો, અન્ય એક તસ્કર ફરાર..

હુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.

New Update
વડોદરા : પોલીસ ઉપર કરેલા હુમલા બાદ ઘરફોડિયો ઝડપાયો, અન્ય એક તસ્કર ફરાર..

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે 2 રીઢા ઘરફોડિયાઓએ મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે અચાનક પોલીસ આવી જતાં તસ્કરોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જોકે, હુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના ખાટીવાવ રોડ પર આવેલ જી.પી.ઓ.ની ગલીમાં દેતેશ્વર વિસ્તારમાં રહેતા 2 રીઢા ઘરફોડિયા ચોર જોગીન્દરસિંઘ સિકલીગર તથા તિલકસિંઘ સિકલીગર ચોરી કરવાના ઇરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો. દરવાજાના નકુચા તોડવાના સાધનો સાથે બન્ને એક બંધ મકાનના લોખંડના દરવાજાનો નકુચો તોડી રહ્યા હતા. જોકે, રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સલાઉદ્દીન મલેક તથા એલ.આર.ડી. સુનિલ મકવાણા નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ બન્ને પોલીસ કર્મચારી જી.પી.ઓ. પાસેથી પસાર થતા હતા. તે દરમ્યાન તેઓને કંઇક તોડવાનો અવાજ આવતાં ત્યાં તરફ જઈને તપાસ કરતાં બન્ને ઘરફોડીયાઓ દરવાજાનો નકુચો તોડી રહ્યા હતા, ત્યારે બન્ને ઘરફોડીયાઓએ દરવાજા તોડવાના સાધનોથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીઓને માથા તથા છાતીના ભાગે ઇજા પહોચી હતી. જોકે, પોલીસ અને ઘરફોડીયા વચ્ચે થયેલ ઝપાઝપીમાં જોગીન્દરસિંઘ સિકલીગર ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય તિલકસિંઘ સિકલીગર ત્યાથી નાસી છૂટ્યો હતો, ત્યારે હાલ તો ફરાર થયેલ ઘરફોડીયાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.