વડોદરા : ભાયલી ગામે વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

New Update
  • બદલાતા સમય સાથે લોકોમાં પણ હવે જાગૃતિ આવી

  • ભાયલી ગામ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું

  • વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા કરાયું આયોજન

  • સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા

  • મહાનુભાવોએ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

એક જમાનો હતોજ્યારે પટેલ સમાજના એકથી વધારે દીકરીના પિતાને બિચારા ગણવામાં આવતા હતા. જેનું મુખ્ય કારણ દીકરીના લગ્નમાં થતા ચર્ચાઓ હતું. વાત એવી હતી કેભૂતકાળમાં પટેલ સમાજની દીકરીનું લગ્ન ખૂબ જ ખર્ચાળ રહેતું હતું. દીકરીને ધામધૂમથી પરણાવવામાં પિતાને જમીન વેચવાનો વારો આવતો હતો. સમાજમાં દેખાદેખીના લીધે પણ દીકરીના લગ્નમાં અઢળક ખર્ચો કરવામાં આવતો હતો. સરવાળે દીકરીનો પિતા દેવાદાર બની જતો હતો.

પરંતુબદલાતા સમય સાથે લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે. હવેપટેલ સમાજમાં પણ સમૂહ લગ્નોત્સવનો કોન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે. વડોદરા નજીકના ભાયલી ગામે છેલ્લા 52 વર્ષોથી સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજના સદસ્યો દ્વારા ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયલીની પ્રગતિ વિદ્યાલયના મેદાનમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાન અરવિંદ પટેલએ જણાવ્યુ હતું કેઅન્ય દાતાઓની મદદથી આ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા છેત્યારે સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોઆમંત્રિત મહેમાનો સહિત પરિવારજનોએ નવયુગલોને નવા જીવનની સફરના આશીર્વાદ પાઠવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.