વડોદરા : ભાયલી ગામે વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

New Update
  • બદલાતા સમય સાથે લોકોમાં પણ હવે જાગૃતિ આવી

  • ભાયલી ગામ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું

  • વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા કરાયું આયોજન

  • સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા

  • મહાનુભાવોએ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

એક જમાનો હતોજ્યારે પટેલ સમાજના એકથી વધારે દીકરીના પિતાને બિચારા ગણવામાં આવતા હતા. જેનું મુખ્ય કારણ દીકરીના લગ્નમાં થતા ચર્ચાઓ હતું. વાત એવી હતી કેભૂતકાળમાં પટેલ સમાજની દીકરીનું લગ્ન ખૂબ જ ખર્ચાળ રહેતું હતું. દીકરીને ધામધૂમથી પરણાવવામાં પિતાને જમીન વેચવાનો વારો આવતો હતો. સમાજમાં દેખાદેખીના લીધે પણ દીકરીના લગ્નમાં અઢળક ખર્ચો કરવામાં આવતો હતો. સરવાળે દીકરીનો પિતા દેવાદાર બની જતો હતો.

પરંતુબદલાતા સમય સાથે લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે. હવેપટેલ સમાજમાં પણ સમૂહ લગ્નોત્સવનો કોન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે. વડોદરા નજીકના ભાયલી ગામે છેલ્લા 52 વર્ષોથી સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજના સદસ્યો દ્વારા ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયલીની પ્રગતિ વિદ્યાલયના મેદાનમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાન અરવિંદ પટેલએ જણાવ્યુ હતું કેઅન્ય દાતાઓની મદદથી આ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા છેત્યારે સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોઆમંત્રિત મહેમાનો સહિત પરિવારજનોએ નવયુગલોને નવા જીવનની સફરના આશીર્વાદ પાઠવ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.