વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...

કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી

New Update
વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક ગતરોજ સાંજના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી. જેમાં અનેક રેતી વહન કરતા વાહનો ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા, અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ પાલેજ-નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા.

સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાય ગયો હતો, તો કોઈક સુહાગનના સેંથીનું સિંદૂર ભૂસાયું હતું. જોકે, પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. પણ ત્યારબાદ પણ પાલેજ-નારેશ્વર માર્ગ પર સર્જાયેલા 2 અક્સ્માતમાં 2 હતભાગી કાળનો કોળિયો બની ગયા હતા. હવે, જોવાનું એ રહ્યું કે, રેતી વહન કરતા વાહન ચાલકો સામે તંત્ર કેટલા દિવસ કડકાઈ રાખશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.