વડોદરા:કારેલીબાગમાં રાત્રી બજારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,લોકોમાં ફેલાયો ભયનો માહોલ

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

New Update
  • અસામાજિક તત્વોનો ત્રાસ

  • રાત્રી બજારમાં કરી તોડફોડ

  • આઈસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ કરી મચાવ્યો આતંક

  • ઘટનાને પગલે લોકોમાં ફેલાયો ભયનો માહોલ

  • પોલીસે સીસીટીવીની આધારે શરૂ કરી તપાસ 

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી.તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ચાર હુમલા ખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપ શબ્દો ઉચ્ચારીને બૂમાબૂમ કરી દુકાનમાં તોડફોડ કરી હતી.

બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી.ચાર હુમલાખોરોએ આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરોક્ત બનાવવા અંગે દિનેશ શર્માએ પોલીસ ફરિયાદમાં દર્જ કરાવી હતી.હરણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ને વાયરલ થયેલા વિડિયોને આધારે તપાસ શરૂ કરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.