વડોદરા:કારેલીબાગમાં રાત્રી બજારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,લોકોમાં ફેલાયો ભયનો માહોલ

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

New Update
  • અસામાજિક તત્વોનો ત્રાસ

  • રાત્રી બજારમાં કરી તોડફોડ

  • આઈસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ કરી મચાવ્યો આતંક

  • ઘટનાને પગલે લોકોમાં ફેલાયો ભયનો માહોલ

  • પોલીસે સીસીટીવીની આધારે શરૂ કરી તપાસ 

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી.તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ચાર હુમલા ખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપ શબ્દો ઉચ્ચારીને બૂમાબૂમ કરી દુકાનમાં તોડફોડ કરી હતી.

બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી.ચાર હુમલાખોરોએ આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરોક્ત બનાવવા અંગે દિનેશ શર્માએ પોલીસ ફરિયાદમાં દર્જ કરાવી હતી.હરણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ને વાયરલ થયેલા વિડિયોને આધારે તપાસ શરૂ કરી છે.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.