વડોદરા: ઓલ્ડ પાદરા રોડ ટાગોર નગર સોસાયટી ખાતે ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • વડોદરા ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો 

  • ઓલ્ડ પાદરા રોડ ખાતેની ટાગોર નગર ખાતે કરાયું આયોજન 

  • ધારાસભ્ય,મેયર સહિતના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત 

  • સ્નેહમિલનમાં વિકાસના કામો અંગે કરવામાં આવી ચર્ચા 

  • ઉપસ્થિત સૌએ એક બીજાને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છા 

વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી, મહાનગરપાલિકા અને અકોટા વિધાનસભાના નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  સૌ પ્રથમ આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ,મેયર પિન્કી સોની,ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ,ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ,શાસક પક્ષના નેતા મનોજ પટેલ,મનપાના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી તથા મહામંત્રી સત્યન ગુલાબકર,જસવંત સોલંકી તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનમાં વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોએ એક બીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.