વડોદરા : આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઈ રહેલા ભાજપના કાર્યકરનું હૃદય રોગના હુમલામાં મોત...

વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.

New Update
વડોદરા : આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઈ રહેલા ભાજપના કાર્યકરનું હૃદય રોગના હુમલામાં મોત...

વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.

વડોદરાથી અયોધ્યા ખાતે 1400 જેટલા વ્યક્તિઓ શુક્રવારના રોજ આસ્થા ટ્રેન મારફતે રવાના થયા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરી તેઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યા ખાતે ગયેલા વ્યક્તિઓમાં વડોદરાના સુંદરપુરા ગામના માજી સરપંચ રમણ પાટણવાડીયા પણ હતા. જેઓને મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન નજીક અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો, અને તેમાં તેઓનું નિધન થયું હતું. તેઓના મૃતદેહને ખંડવા હોસ્પિટલ ખાતે લઈ જવાયું હતું, અને ત્યાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તેઓ સાથે વડોદરાના સ્થાનિક કોર્પોરેટર રાજેશ આયરે પણ હતા. જેઓ પોસ્ટમોર્ટ બાદ તેઓના પાર્થિવ શરીરને લઈ વડોદરા આવવા રવાના થયા હતા.

Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.