વડોદરા: બાળકો દ્વારા પ્રભાતફેરી યોજી ગુરુદ્વારામાં દર્શન કરીને વીર બાળ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં  આવ્યું હતું.

New Update
  • દેશભરમાં દ્વિતીય બાળ દિવસની ઉજવણી

  • તરસાલીના મંદિરથી યોજાઈ પ્રભાતફેરી

  • ચાર સ્થળોએ બાળકોએ દ્વારા રેલી યોજાઈ

  • ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ગ્રંથસાહેબના દર્શન સાથે લંગરનો લાભ લેતા શ્રદ્ધાળુઓ

દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં  આવ્યું હતું.

નવી પેઢીને બાળ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા તરસાલી સ્થિત સાઈ મંદિર  ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલમ.ન.પા.ના. બીજેપીના નેતા મનોજ પટેલ,દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ  સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત  ફેરીમાં સહભાગી થયા હતા.સાહિબજાદોનું જીવન તેમનો જીવન સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચેતેઓ તેમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે બાળદિનની ઉજવણી કરાઈ રહી છે.ત્યાર બાદ ગુરૂદ્વારા ખાતે સાહિબજાદોના ચરણોમાં નમન કરતા  શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાહિબજાદોનાને લગતું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.