વડોદરા: બાળકો દ્વારા પ્રભાતફેરી યોજી ગુરુદ્વારામાં દર્શન કરીને વીર બાળ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં  આવ્યું હતું.

New Update
  • દેશભરમાં દ્વિતીય બાળ દિવસની ઉજવણી

  • તરસાલીના મંદિરથી યોજાઈ પ્રભાતફેરી

  • ચાર સ્થળોએ બાળકોએ દ્વારા રેલી યોજાઈ

  • ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ગ્રંથસાહેબના દર્શન સાથે લંગરનો લાભ લેતા શ્રદ્ધાળુઓ

દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં  આવ્યું હતું.

નવી પેઢીને બાળ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા તરસાલી સ્થિત સાઈ મંદિર  ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલમ.ન.પા.ના. બીજેપીના નેતા મનોજ પટેલ,દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ  સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત  ફેરીમાં સહભાગી થયા હતા.સાહિબજાદોનું જીવન તેમનો જીવન સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચેતેઓ તેમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે બાળદિનની ઉજવણી કરાઈ રહી છે.ત્યાર બાદ ગુરૂદ્વારા ખાતે સાહિબજાદોના ચરણોમાં નમન કરતા  શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાહિબજાદોનાને લગતું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી.

Read the Next Article

વડોદરા : ડભોઇના સીમળીયા નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારનો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે મોત…

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા

New Update
  • ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીકની ઘટના

  • મિત્રો સાથે ચા-નાસ્તો કરી પરત ફરતા અકસ્માત

  • કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના મોત થયા

  • ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા

  • ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો

Advertisment
1/38

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાજ્યારે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા 7 મિત્રો પરત બહાદરપુર જતા હતાત્યારે ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા તેમની કાર ઝાડ અને થાંભલા સાથે અથડાય હતી. ત્યારબાદ રોડ નજીકની કાંસમાં કાર પલટી મારતા વડોદરા-વાઘોડિયા રોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી 2 યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાંજ્યારે અન્ય 5 મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ભયંકર હતો કેકારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સમગ્ર બનાવને લઈ ડભોઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફદિવાળીની રાત્રે અકસ્માતમાં 2 પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Latest Stories