વડોદરા : 2 મહિનામાં ત્રીજી વાર શહેરમાં પૂરનું સંકટ મંડરાયું, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છે, ત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

New Update

વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી

શહેરમાં સતત 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું

વાહનચાલકોએ પોતાના વાહનો બચાવવા બ્રિજ પર પાર્ક કર્યા

વહીવટી તંત્ર દ્વારા વિવિધ મુદ્દે બેઠકો યોજી ચર્ચાઓ કરાય

પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું

વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છેત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. સમા-સાવલી બ્રિજ પર બંને તરફ અનેક કાર પાર્ક કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છેઅને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે. ઉલ્લેખનીય છે કેગત મહિને આવેલા પૂરમાં પણ લોકોએ આ બ્રિજ પર વાહનો પાર્ક કર્યા હતા તેમ છતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહનો ખરાબ થઈ ગયા હતા. તો બીજી તરફશહેરના રાજમાર્ગો પર અવારનવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નદીતળાવોના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે. હવે માત્ર 5 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરને ધમરોળી નાખ્યું છે. તેવામાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છેત્યારે શહેરમાં NDRFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.