વડોદરા : એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું ડીમોલેશન, 50 જેટલા મકાનો તોડી પડાયા

શહેરના એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું દબાણ ખાતું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 50 જેટલા ઘરો તોડી પડતાં સ્થાનિકો બે ઘર થયા હતા.

New Update
વડોદરા : એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું ડીમોલેશન, 50 જેટલા મકાનો તોડી પડાયા

શહેરના એરપોર્ટ સર્કલ પાસે જવાહર ફળિયામાં કોર્પોરેશનનું દબાણ ખાતું ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. 50 જેટલા ઘરો તોડી પડતાં સ્થાનિકો બે ઘર થયા હતા.

Advertisment

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આવેલા જવાહર ફળિયામાં અંદાજે 50 મકાનો આવેલા છે. જ્યાં લોકો 35 વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહ્યા છે. બે મહિના અગાઉ કોર્પોરેશન દ્વારા આ વસાહતમાં લોકોને ટૂંકી મુદતમાં મકાનો ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. આજરોજ પોતાના વર્ષોથી સ્થાયી થયેલા ઘરોને તૂટતાં જોઈને સૌ કોઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા . વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો હતો કે તે મકાનો રહેવા લાયક નથી. જેથી પ્રાથમિક સુવિધા અને યોગ્ય વિસ્તારમાં મકાન ફાળવવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મોરચા સ્વરૂપે આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી.

સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને જે વિસ્તારમાં મકાન ફાળવ્યા છે તે કિશનવાડી વિસ્તારમાં સાંજ પડતાં જ અસામાજિક તત્વોનો ત્રાસ રહે છે જેથી તેઓના સંતાનોનું ભવિષ્ય જોખમાઈ તેમ છે. તેમજ અન્ય સ્થાનિકે જણાવ્યું હતું કે, કિશનવાડીમાં વુડાના મકાન ખૂબ નાના છે. પ્રાથમિક સુવિધાના અભાવ સાથે અસામાજિક તત્વોનો ત્રાસ છે. ત્યારે હવે કોર્પોરેશન આજે પોલીસ બંદોબસ્ત સાથે 50 જેટલા કાચા પાકા મકાનોના દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરશે. કોંગ્રેસ સંગઠન મંત્રી પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોના અગ્રણી અને બિલ્ડર વ્યવસાય સાથે સંકળાયેલા માનીતાને લગડી સમાન જમીન સોંપી દેવા કોર્પોરેશન પેરવી કરી રહ્યું છે. આ ભ્રષ્ટાચારનો સીધો એક ભાગ છે.

કોર્પોરેશન તરફથી જાણવા મળ્યું હતું કે આ વિસ્તારના લોકોને મકાન ફાળવી દેવામાં આવ્યા છે. બે મહિના અગાઉ કોર્પોરેશન દ્વારા આ વસાહતમાં લોકોને ટૂંકી મુદતમાં મકાનો ખાલી કરવા નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

Advertisment