/connect-gujarat/media/post_banners/7160a2bc192689b1cedbbcd09398e01cc8d342a118102dcac6ecb7c0ba9adae1.jpg)
આજરોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના આજવા રોડ પર નિર્માણ પામેલ મહેન્દ્રપુરી બાલાજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા શહેરના આજવા રોડ પર મહેન્દ્રપુરી બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા થોડા સમયથી પ્રચલિત થયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ મંદિરના દર્શન કર્યા બાદ લોકોને સંબોધિત કરી સનાતન ધર્મનો ફેલાવો કર્યો હતો. તેઓ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એ હિન્દુઓ માટે ખૂબ અગત્યનો છે, અને આગામી સમય માટે રામરાજ્ય લાવવા માટે સનાતન ધર્મનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવો પડશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવચનનો લાભ લીધો હતો.