વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળો 2025નો પ્રારંભ થયો,30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું વિતરણ પણ કરાયું

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

New Update
  • અકોટા સ્ટેડિયમમાં દિવ્ય કલા મેળાનો પ્રારંભ

  • કેન્દ્રીય મંત્રીના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો

  • દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોનું કરાયું માર્કેટિંગ

  • દિવ્યાંગો માટે રોજગાર મેળાનું પણ કરાશે આયોજન

  • 30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું કરાયું વિતરણ

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે,કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી બી.એલ.વર્માના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.દસ દિવસના મેળા દરમિયાનભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થાઓકોર્પોરેશનો અને NGO દ્વારા દિવ્યાંગોની સમસ્યાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ મેળા હેઠળ તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. 

આ ઉપરાંત દિવ્ય કલા મેળામાં ગુજરાતના 30 દિવ્યાંગોને 1 કરોડ રૂપિયાની લોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.