વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળો 2025નો પ્રારંભ થયો,30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું વિતરણ પણ કરાયું

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

New Update
  • અકોટા સ્ટેડિયમમાં દિવ્ય કલા મેળાનો પ્રારંભ

  • કેન્દ્રીય મંત્રીના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો

  • દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોનું કરાયું માર્કેટિંગ

  • દિવ્યાંગો માટે રોજગાર મેળાનું પણ કરાશે આયોજન

  • 30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું કરાયું વિતરણ

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે,કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી બી.એલ.વર્માના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.દસ દિવસના મેળા દરમિયાનભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થાઓકોર્પોરેશનો અનેNGO દ્વારા દિવ્યાંગોની સમસ્યાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ મેળા હેઠળ તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. 

આ ઉપરાંત દિવ્ય કલા મેળામાં ગુજરાતના 30 દિવ્યાંગોને 1 કરોડ રૂપિયાની લોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.