વડોદરા:પૂર બાદ ભાજપમાં જ ઉકળતો ચરુ,ભૂખી કાંસ પર દબાણના કારણે પૂર આવ્યું:ભાણજી પટેલ

વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,

New Update

વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,જેના કારણે ભાજપમાં પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. 

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી,અને ટાઉન પ્લાનિંગનો અભાવ અને ફ્લડ પ્લેન ઝોનમાં બાંધકામને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે,પરંતુ હવે ખુદ ભાજપના જ વોર્ડ 2 ના કોર્પોરેટર ભાણજી પટેલે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો,અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો,અને જણાવ્યું હતું કે ભૂખી કાંસ પરના દબાણને કારણે તેઓના વિસ્તારમાં પૂર આવ્યું હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ જાહેરમાં લોકોની માફી માંગવા અનુરોધ કર્યો હતો.તેમજ વરસાદી કાંસ અને વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવા માટે પણ જણાવ્યુ હતુ.
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.