વડોદરા: નેતાઓને જાકારો આપતા પૂરગ્રસ્તો,સોસાયટીના ગેટ પર નેતાઓના પ્રવેશબંધી અંગેના લગાવ્યા બેનર

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુર આવતા આખું શહેર જળબંબાકાર બની ગયું હતું,પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે પૂરગ્રસ્તોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

New Update

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુર આવતા આખું શહેર જળબંબાકાર બની ગયું હતું,પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે પૂરગ્રસ્તોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,અને સોસાયટીની બહાર નેતાઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવવામાં આવ્યા છે.  

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી દીધી છે,હવે જ્યારે પૂર બાદ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ધબકતું થઈ રહ્યું છે,ત્યારે બીજી તરફ પૂરગ્રસ્તોમાં ભાજપના નેતાઓને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના મત વિસ્તારમાં વોર્ડ નંબર 4 ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઈદીપ સોસાયટીના રહીશોએ સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો.સોસાયટીના રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું ચૂંટણીમાં મત માંગવા માટે દોડી આવતા નેતાઓ પૂરનું પાણી ભરાયું ત્યારે કોઈ નેતા જોવા પણ આવ્યા નથી,હવે અમારે નેતાઓની મદદની જરૂર નથી અને કોઈ નેતાએ સોસાયટીમાં આવવું નહીં.
#Gujarat #CGNews #Vadodara #banned #Society #banners #Vadodara Flood
Latest Stories
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર ન...

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.