વડોદરા:આરોગ્ય વિભાગ દ્વારા રસ્તે રખડતા લોકો અને ભિક્ષુકો માટે કેમ્પનું કરવામાં આવ્યુ આયોજન,2 હજારથી વધુ લોકોની કરવામાં આવી તપાસ

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકો માટે આયોજિત કેમ્પમાં 2200 થી વધુ લોકોને તપાસ કરાવી હતી

New Update
વડોદરા:આરોગ્ય વિભાગ દ્વારા રસ્તે રખડતા લોકો અને ભિક્ષુકો માટે કેમ્પનું કરવામાં આવ્યુ આયોજન,2 હજારથી વધુ લોકોની કરવામાં આવી તપાસ

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકો માટે આયોજિત કેમ્પમાં 2200 થી વધુ લોકોને તપાસ કરાવી હતી જેમાં 500થી વધુ દર્દીઓ મળી આવ્યા હતા.

વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નો ચાર્જ સંભાળ્યા બાદ અર્પિત સાગરે ભિક્ષુકોની હાલત જોતા તાત્કાલિક આરોગ્ય વિભાગમાં સૂચના આપી વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ આયોજિત કરવા જણાવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં કુલ 2200 થી વધુ રસ્તે રખડતા અને ભિક્ષુકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં 500થી વધુ ભિક્ષુકોને અને તેમના બાળકોને ચર્મ રોગ સહિતની વિવિધ બીમારીઓ જોવા મળી હતી જે તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યારે વાડી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે આયોજિત કેમ્પમાં યમુનામી અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર કલ્પેશ રાઠવા અને તેમની ટીમે મેડિકલ કેમ્પ યોજયો હતો જેમાં 100થી વધુ લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.