વડોદરા : સ્થાનિક યુવાનોને મનપાએ આપી નોકરી લાલચ, AMCના જેકેટ પહેરાવી સફાઈના કામે લગાવતા વિવાદ..!

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે.

New Update

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કેબહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે. પરંતુ વડોદરા મનપાએ સ્થાનિક સફાઈ કામદારોને AMCના જેકેટ પહેરાવી કામે લગાવતા મામલો ગરમાયો છે.

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ હવે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કેઅમદાવાદ અને સુરત સહીની મહાનગરપાલિકાઓમાંથી ટીમોને  બોલાવવામાં આવી છેઅને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પાલિકા તંત્ર લોકોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કેજ્યારે AMCના જેકેટ પહેરીને સફાઈ કરતા કર્મચારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કેતેઓ તો વડોદરાના જ છે. માત્ર જેકેટ જ અમદાવાદ મહાનગરપાલિકાના પહેર્યા છે. તેઓને કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને  સફાઈ કામે લગાવી દેવામાં આવ્યા હતા. જોકેતેઓ તમામ વડોદરાના જ સોલંકી સમાજના યુવાનો છેત્યારે શું મનપા હવે સફાઈ કામમાં પણ લોકોને અંધારામાં રાખે છેઅને આ યુવાનો કેજેઓ કોઈ આશા સાથે કામકાજે લાગ્યા છેતેઓ પોતાની નોકરી છોડીને કોર્પોરેશનમાં નોકરી મળશે તે આશાએ આવ્યા હતાઅને તેઓની ભાવના સાથે પણ જાણે ખિલવાડ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.