વડોદરા : સ્થાનિક યુવાનોને મનપાએ આપી નોકરી લાલચ, AMCના જેકેટ પહેરાવી સફાઈના કામે લગાવતા વિવાદ..!

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે.

New Update

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કેબહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે. પરંતુ વડોદરા મનપાએ સ્થાનિક સફાઈ કામદારોનેAMCના જેકેટ પહેરાવી કામે લગાવતા મામલો ગરમાયો છે.

Advertisment

વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ હવે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કેઅમદાવાદ અને સુરત સહીની મહાનગરપાલિકાઓમાંથી ટીમોને  બોલાવવામાં આવી છેઅને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પાલિકા તંત્ર લોકોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કેજ્યારે AMCના જેકેટ પહેરીને સફાઈ કરતા કર્મચારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કેતેઓ તો વડોદરાના જ છે. માત્ર જેકેટ જ અમદાવાદ મહાનગરપાલિકાના પહેર્યા છે. તેઓને કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને  સફાઈ કામે લગાવી દેવામાં આવ્યા હતા. જોકેતેઓ તમામ વડોદરાના જ સોલંકી સમાજના યુવાનો છેત્યારે શું મનપા હવે સફાઈ કામમાં પણ લોકોને અંધારામાં રાખે છેઅને આ યુવાનો કેજેઓ કોઈ આશા સાથે કામકાજે લાગ્યા છેતેઓ પોતાની નોકરી છોડીને કોર્પોરેશનમાં નોકરી મળશે તે આશાએ આવ્યા હતાઅને તેઓની ભાવના સાથે પણ જાણે ખિલવાડ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.