વડોદરા : મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી, નવી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું…

શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે,

New Update
વડોદરા : મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી, નવી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું…

વડોદરા શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ત્યારે વડોદરાના મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું હતું.

વડોદરા શહેરમાં મહાનગર પાલિકા દ્વારા અપાવામાં આવેલા કેન્ટ્રાક્ટ હેઠળ વિનાયક લોજીસ્ટિક દ્વારા સિટી બસ સેવા સંચાલિત કરવામાં આવે છે. આ સુવિધા લોકો માટે વધુ સારી રીતે ઉપયોગી બની શકે તે માટે સિટી બસમાં GPS લગાવવામાં આવ્યા છે. સાથે જ શહેરના 85 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં આવશે તે દર્શાવતા ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે. જેથી હવે આ બસ સ્ટોપ પર આવતા મુસાફરોને તેના રૂટની બસ કેટલા સમયમાં આવશે તેની જાણ થશે. જો કોઇ મુસાફર તેમના ઘરે હોય અને બહાર જવા માટે પ્લાનિંગ કરતા હોય તો તેમના નજીકના સિટી બસ સ્ટેશને તેમના રૂટની બસ કેટલા સમયમાં આવશે તે "વડોદરા સ્માર્ટ સિટી બસ એપ્લિકેશન" દ્વારા જાણી શકાશે. જેથી હવે વડોદરાના શહેરીજનો ઘરેથી જ મુસાફરીનું પ્લાનિંગ કરી શકશે અને તેમને બસની વધુ સમય રાહ જોવાની જરૂર નહીં પડે. બસમાં મુસાફરી દરમિયાન પણ પેસેન્જર એપ દ્વારા જાણી શકશે કે, હવે આગામી બસ સ્ટોપ કયું આવશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને IOS પર ઉપલબ્ધ છે.

જોકે, વડોદરામાં સિટી બસના મુસાફરો માટે શરૂ કરવામાં આવેલા GPS અને લોકેશનની સુવિધા બરાબર કામ કરે છે કે, નહીં તે માટે વડોદરાના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે સિટી બસની મુસાફરી કરી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ખંડેરાવ માર્કેટથી માંજલપુર સુધી સિટી બસમાં ગયા હતા, અને ત્યાંથી પરત ખંડેરાવ માર્કેટ આવ્યા હતા. આ દરમિયાન ડિસ્પ્લેમાં બતાવવામાં આવતા સમયે બસ આવે છે કે, નહીં અને મુસાફરોને કેવી સુવિધાઓ આપી શકાય તે અંગે પણ તેમણે લોકોના અભિપ્રાય લીધા હતા. વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેરની 150 સિટી બસમાં GPS સિસ્ટમ મુકાઇ છે. તેમજ 87 બસ સ્ટેશન પર ડિસ્પ્લે દ્વારા ક્યા રૂટની બસે ક્યારે આવશે તેની માહિતી અપાશે. જેથી મુસાફરોને ઘણી અને સારી સુવિધા રહેશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.