વડોદરા: નિર્ભયાની હાલત નાજુક, તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર

વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.  

New Update
  • નિર્ભયાનો જીવનમરણ વચ્ચેનો જંગ

  • એસએસજી હોસ્પિટલમાં છે સારવાર હેઠળ

  • બાળકીની તબિયત છે નાજુક

  • 48 કલાકમાં લોહીના ત્રણ યુનિટ અપાયા

  • તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર

વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.  

ભરૂચ જિલ્લાના એક ગામમાં બળાત્કારનો ભોગ બનેલી માસુમ બાળકી  હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગત રાતે તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.છેલ્લા છ દિવસથી તે વેન્ટિલેટર પર છે અને 48 કલાકમાં તેને લોહીના ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વડોદરા એસએસજી હોસ્પિટલના RMO હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત અત્યંત નાજુક છે. અને તબીબો દ્વારા ધનિષ્ટ સારવાર કરીને બાળકી જલ્દી સ્વસ્થ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.