વડોદરા : ઉડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત, ગંભીર રીતે દાઝેલ અન્ય વ્યક્તિ સારવાર હેઠળ...!
શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું.
BY Connect Gujarat Desk29 Dec 2023 12:37 PM GMT
X
Connect Gujarat Desk29 Dec 2023 12:37 PM GMT
વડોદરા શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ઉડેરા વિસ્તારમાં આવેલ જીઓ પેટ્રોલ પંપ નજીક ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું મોત નીયજ્યું હતું. લોખંડની સીડી લઈને જતા વખતે સીડી ઉપરથી પસાર થઈ રહેલા વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. જેમાં વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ જવાહર નગર પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.
Next Story