/connect-gujarat/media/post_banners/5738d3e8d545a80764079247b143fc9bb1ee0984b5b93d1947b80ab4fd32d7ee.jpg)
હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પડી ગયા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર કે, જેઓ અમિત ચાવડાના ખૂબ જ નિકટ સંબંધ ધરાવતા નેતા છે, અને તેઓને વડોદરામાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની તક અમિત ચાવડાએ આપી છે.
ત્યારે અનગઢ ગામ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા અને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયારે ગામમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે તેમજ મહીસાગર સ્થિત મસાણી મેલડી માતાના મંદિરે પગપાળા પહોચી દર્શન સહિત ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ કોંગ્રેસ પક્ષ જંગી બહુમતીથી લોકસભા 2024ની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.