વડોદરા: BMW કારની અડફેટે વૃદ્ધના મોતના કેસમાં હરણી પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી

વડોદરા શહેરના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રએ 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું.

New Update
a

વડોદરા શહેરના અમિતનગર પાસે પુરપાટ ઝડપેBMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રએ73વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી.

આ અકસ્માતની ઘટનામાં24દિવસ બાદ આરોપીની અટક કરી માત્ર સાડા ત્રણ કલાકમાં છોડી દીધો હતો.અને પોલીસે વૈભવી કારને પણ કબ્જે ન કરી ગંભીર બેદરકારી દર્શાવી હતી.આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ચૌહાણની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે.અને તેમના સ્થાને વાડી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એસ.વી.વસાવાને મુકવામાં આવ્યા છે. અને ઘટનાની તપાસACP એચ ડિવિઝન જી.બી.બાભણીયાને સોંપી છે.અત્યાર સુધી જે તપાસ થઈ છે તેમાં કોઈ નિષ્કાળજી હતી કે કેમતે અંગે પણACP તપાસ કરશે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.