વડોદરા: મહિલાઓ માટે પિન્ક મેરેથોનનું કરાયું આયોજન,મોટી સંખ્યામાં સ્પર્ધકોએ લીધો ભાગ

વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

New Update
  • રાત્રી સમયમાં યોજાઈ પિન્ક મેરેથોન

  • મહિલાઓ સુરક્ષિત છેના ખાસ સંદેશ સાથે કરાયું આયોજન

  • મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ પૂર્વક લીધો ભાગ

  • મહારાણીએ મેરેથોનને કરાવ્યું ફ્લેગ ઓફ

  • પોલીસના સહયોગથી મહિલાઓ બની સુરક્ષિત

વડોદરા ખાતે મહિલાઓ સુરક્ષિત છે તેવા સંદેશ સાથે ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વડોદરા ખાતે મહિલાઓ માટેની ખાસ પિન્ક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સુરક્ષિત છે તે સંદેશ આપવા માટે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને મહારાણી રાધિકા રાજે દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. વડોદરામાં મહિલાઓ રાત્રીના બે વાગ્યે પણ એકલી સુરક્ષિત રીતે ઘરે જઈ શકે છે અને પોલીસ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે છે,તે સંદેશ આપવા માટે સેફ વડોદરા શીર્ષક અંતર્ગત રાત્રી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 2000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.આ મેરેથોન માં પોલીસ વિભાગની સી ટીમ પણ જોડાઈ હતી.મહારાણી રાધિકા રાજે જણાવ્યું હતું કે વડોદરાએ મહિલાઓ માટે અતિ સુરક્ષિત શહેર છે અને પોલીસ દ્વારા પણ પૂરતું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ સંદેશ આપવા માટે આ વિશેષ મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.