વડોદરા : PM નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે

New Update
વડોદરા : PM નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયું.

વડોદરા શહેરના કમાટી બાગ વિસ્તારમાં આવેલ ફાઇન આર્ટ્સ ગેલેરી નજીક મશહૂર પેન્ટર દ્વારા તૈયાર કરાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેઇન્ટિંગ પ્રદર્શનને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Advertisment

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મશહૂર પેન્ટર દ્વારા PM મોદીના વિવિધ પેઇન્ટિંગને કેનવાસ તેમજ વૉટર કલરથી તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મેયર કેયુર રોકડિયા, રાજ્યકક્ષાના મંત્રી મનિષા વકીલ સહિત રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.