વડોદરા : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, પોલીસે કોંગી કાર્યકરોની ટિંગાટોળી કરી

વડોદરાના માંડવી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

New Update
વડોદરા : મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવ, પોલીસે કોંગી કાર્યકરોની ટિંગાટોળી કરી

વડોદરાના માંડવી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા ટિંગાટોળી સાથે કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મહેંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના માંડવી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. હાથમાં વિવિધ સૂત્રોચ્ચાર સહિતના બેનર અને પોસ્ટર લઈ રાંધણ ગેસમાં વધેલા ભાવનો વિરોધ કરાયો હતો. જેમાં રાંધણ ગેસમાં વધેલા ભાવને સરકાર દ્વારા પરત ખેંચવાની માંગ સાથે કોંગી કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. જોકે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે ટિંગાટોળી કરી કોંગી કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષ નેતા અમી રાવતની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાની અટકાયત થતાં કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ પોલીસના વાહન આગળ માર્ગ પર સૂઈ જઈને વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે પોલીસે વધુ 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

Latest Stories