વડોદરા: પીડિતાનો મોબાઈલ શોધવા માટે પોલીસે વિશ્વામિત્રી નદી ઉલેચી,હાઈટેક ટેક્નોલોજીથી તપાસનો ધમધમાટ

વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા,

New Update

વડોદરા સામૂહિક દુષ્કર્મનો મામલો 

પોલીસ કરી રહી છે સઘન તપાસ 

પીડિતાના મોબાઈલની કરવામાં આવી શોધખોળ 

આરોપીએ વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધો હતો 

હાઈટેક ટેક્નોલોજીની મદદથી મોબાઈલની શોધખોળ 

વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટનામાં પીડિતાનો મોબાઈલ ફોન આરોપીઓએ વિશ્વામિત્રી નદીમાં નાખી દીધો હતો.જે ફોનની શોધખોળ માટે પોલીસે ફાયર બ્રિગેડની ટીમ સાથે હાઈટેક  ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.  
વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા,અને યુવતીની માતાનો ફોન આવતા માત્ર પાંચ સેકન્ડ માટે ફોન એક્ટિવ થયો હતો,જે પોલીસ માટે મહત્વની કડી રૂપ બની રહ્યું હતું. આરોપીઓની ધરપકડ બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા,અને પોલીસ દ્વારા વધુ તપાસ માટે પીડિતાના મોબાઈલ ફોનની રિકવરી માટે આરોપીએ વિશ્વામિત્રી નદીમાં જ્યાં મોબાઈલ ફેંક્યો હતો,તેની શોધખોળ શરૂ કરી હતી,પોલીસે ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને નદી ઉલેચવાનું શરૂ કર્યું હતું.જોકે વિશ્વામિત્રી નદીમાં મગરનો ભય હોવાના કારણે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નદીમાં મોબાઈલ ફોન શોધવામાં આવી રહ્યો છે,જેમાં ફાયર બ્રિગેડ દ્વારા કેમેરા નદીના પાણીમાં ઉતારવામાં આવ્યા છે,અને તેનું મોનીટરીંગ ફાયર બ્રિગેડના વ્હીકલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.