વડોદરા : નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસની મોટી કાર્યવાહી,નવ આરોપીઓ વિરૂદ્ધ કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી

વડોદરા શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ફરિયાદો નોંધાઈ હતી.

New Update
  • આરોપીઓ સામે પોલીસે કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી

  • ઓર્ગેનાઇઝડ ક્રાઇમને આપતા હતા અંજામ

  • ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે વિવિધ ગુન્હા

  • 4 આરોપીઓ વિરુદ્ધ નોંધાયા 140 ગુન્હા

  • પોલીસની કાર્યવાહીથી આરોપીઓમાં ફફડાટ

વડોદરા શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ફરિયાદો નોંધાઈ હતી.જેમાં આરોપીઓમાં હુસેનમિયા સુન્ની વિરુદ્ધ 69 ગુનાઅકબર સુન્ની વિરુદ્ધ 30વસીમ ખાન પઠાણ વિરુદ્ધ 19સિકંદર સુન્ની વિરુદ્ધ 22 ગુના નોંધાયા હતા.આરોપીઓ પર હત્યાનો પ્રયાસ,ચોરી,ભયનો માહોલ ઉભો કરી લોકોનું આર્થિક શોષણ કરતા હોવાના આરોપો લાગ્યા હતા.તેથી પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીના પગલે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 હેઠળ ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની આરોપીઓ સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહીથી ગુનેગારી આલમ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.