વડોદરા:રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી

વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.

New Update
  • રામજન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજીની પધરામણી

  • મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અંગે ખુશી વ્યક્ત કરી

  • બાંગ્લાદેશ અંગે આપી તીખી પ્રતિક્રિયા

  • પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશને પણ સબક શીખવવાની જરૂર

  • સરકારે બાંગ્લાદેશમાં ઘૂસીને અત્યાચારીઓને મારવા જોઈએ 

વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.

રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી મહારાજ વડોદરાની મુલાકાતે પધાર્યા હતા.તેઓએ તાજેતરમાં યોજાયેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો વિશે આનંદ વ્યક્ત કર્યો હતો,અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે યાત્રા કાઢવામાં આવી હતી.આ તેનું પરિણામ છે,આપણે અખંડ ભારતની કામના કરી રહ્યા છે અને તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.તેઓએ બાંગ્લાદેશ અંગે પણ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશને પાકિસ્તાનની જેમ સબક શીખવવાની જરૂર છે.સરકારે બાંગ્લાદેશમાં ઘુસીને અત્યાચારીઓને મારવા જોઈએ કારણ કે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.