/connect-gujarat/media/post_banners/c2b0eae39c4c521d9f18ed6434692a59842104fb894c5d1ff333218663b86565.jpg)
ઉનાળો શરૂ થતાની સાથે જ આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે, ત્યારે વડોદરાવાસીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. તો બીજી તરફ સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉનાળાના પ્રારંભથી ગરમીનો પારો 42 ડિગ્રીને પાર ત્જઈ જતાં આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. અતિશય ગરમીના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો ગરમીથી બચવા એસી, કુલર, પંખા સહિતના વાતાનુકૂલિત ઉપકરણોનો ધમધમાટ બોલાવી રહ્યા છે. પરિણામે વીજ માગ અને ઠંડા ખાણીપીણીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને ગરમી સામે શરીરને રક્ષણ અપાવવા લોકો શેરડી અને લીંબુનો રસ આરોગી રહ્યા છે. તેવામાં અબોલા પશુ-પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ ખોરાક પાણીની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.
સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પંખીઓની ગરમીથી રક્ષણ માટે માવજત થઈ રહી છે. ધોમધખતા તડકા અને ગરમી વચ્ચે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓના પિંજરાઓ પર નેટ બાંધી સમયસર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેથી અહી વસતા પ્રાણીઓને ઉનાળાની કાળઝાળ ગરમી સામે રાહત મળી શકે તેમ છે. તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાં જળાશયોના સ્તરમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જરૂરી બન્યું છે.