વડોદરા:વરિષ્ઠ વકીલ પર લાકડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારતા અજાણ્યા શખ્સો

વડોદરાના સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે 74 વર્ષીય વકીલ પર અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો

New Update

વડોદરાના સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે 74 વર્ષીય વકીલ પર અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો,હુમલામાં ઇજાગ્રસ્ત વકીલનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું.

વડોદરા ખાતે રહેતા 74 વર્ષીય વિઠ્ઠલ પ્રસાદ પંડિત વ્યવસાયે વકીલ છે,ગતરાત્રિએ સિંધરોટ નજીક અમરાપુરા મીની રીવર બ્રિજ પાસે વિઠ્ઠલ પ્રસાદ પંડિત પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અચાનક લાકડીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.અને લાકડીના સપાટ મારીને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને 108ની મદદથી સારવાર અર્થે SSG ખાતે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા,સર્જાયેલી ઘટનાના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.વકીલોએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.  
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.