વડોદરા: ગુજરાતમાં પણ મંદિર તોડી મસ્જિદો બનાવાય છે, જુઓ કોણે આપ્યું નિવેદન

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપ્યું હતું

વડોદરા: ગુજરાતમાં પણ મંદિર તોડી મસ્જિદો બનાવાય છે, જુઓ કોણે આપ્યું નિવેદન
New Update

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપાયું હતું કે ગુજરાતમાં પણ મંદિરો તોડી મસ્જિદ બનાવાય છે આ મામલે રિસર્ચ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં કાયદાકીય લડત લડવામાં આવશે.

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. પક્ષકારો હરિશંકર જૈન અને વિષ્ણુશંકર જૈન સામાજિક સંસ્થા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા જ્યાં જ્ઞાનવાપી કેસ મામલે હરિશંકર જૈને નિવેદન આપતા જણાવ્યુ હતું કે આગામી 18 મી તારીખે જ્ઞાનવાપી કેસની વધુ સુનાવણી હાથ ધરાશે તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે મુસ્લિમ આક્રંતાઓએ દેશની સંસ્કૃતિ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અમે જ્યાં પણ આવી મસ્જિદો દેખાશે ત્યાં લડત ચલાવીશું. ગુજરાત માં પણ મંદિરો ધ્વસ્ત કરીને મસ્જિદો બનાવાઈ હતી.ગુજરાતમાં પણ આવી મસ્જિદો હોવાના પુરાવા મળ્યા છે અમે તેના પર રિસર્ચ કરીને આગળ વધીશું.

#Ram Mandir #Tajmahal #build mosques #demolished #Statement #Temples #Vadodara #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article