વડોદરા :ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે એક કર્મચારીને જાહેરમાં માર મારતા વિવાદ સર્જાયો

વડોદરા શહેરવાસીઓ  પૂરની પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અનુભવી રહ્યા છે,ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,

New Update

વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર આવ્યા વિવાદમાં 

ફાયર કર્મચારીને અપશબ્દો બોલીને માર માર્યો હોવાની ફરિયાદ 

ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે નશામાં કર્મચારીને માર માર્યો

વ્યથિત ફાયર કર્મીએ ફરિયાદ નોંધાવતા ચકચાર 

ઇમરજન્સીની પરિસ્થિતિ વચ્ચે વિવાદ સર્જાતા ચકચાર

વડોદરા શહેરવાસીઓ  પૂરની પરિસ્થિતિ સર્જાશે તેવી દહેશત અનુભવી રહ્યા છે,ત્યારે ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દ્વારા નશાની હાલતમાં એક કર્મચારીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,ભોગ બનનાર ફાયર કર્મીએ આ અંગે ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. 
વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ગત રાત્રે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી સુધી આવી ગઈ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ કરવાનું હતું. તેથી મકરપુરા જીઆઇડીસી ફાયર બ્રિગેડના ફાયરમેન અમરસિંહ ઠાકોરને કંટ્રોલ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા. આ સમયે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ હાજર હતા અને તેમણે કર્મચારીને કેમ મોડો આવ્યો તેમ કહી અપશબ્દો બોલીને કાચની બોટલ તેમજ મુક્કા વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીએ એવો આક્ષેપ કર્યો છે કે, મને અહીંથી મારતા જીઆઇડીસી લઈ ગયા હતા અને તેઓ નશામાં ધૂત હતા.ઇજાગ્રસ્ત અમરસિંહને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ફરાર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી છે.  
જ્યારે આ અંગે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્થ બ્રહ્મભટ્ટે  કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે,અને હાલમાં તે ક્યાં છે તે અંગેની કોઈ જાણકારી નથી.વધુમાં ઘટના અંગેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા અંગે તેઓએ જણાવ્યું હતું. 
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.