વડોદરા : પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તોએ કર્યો ઉગ્ર દેખાવો, આર્થિક સહાય તાત્કાલીક ચૂકવવા માંગ...

વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગ સાથે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો.

New Update

મહાવિનાશક પૂરથી થયું હતું શહેરભરમાં ભારે નુકશાન

પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો દ્વારા વિરોધ

નુકશાનીનું પૂરેપૂરું વળતર આપવાની ઉઠી છે લોકમાંગ

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો

જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તેવી માંગ

વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગ સાથે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો.

દિવાળીનો તહેવાર નજીકમાં છેત્યારે વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાન બાદ લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી. બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લેકાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂર પીડીતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવાપૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યુ હતું કેશહેરમાં હજી 40%થી વધુ લોકોને રાહત મળી નથી. સરકારી તંત્રએ વાયદો કર્યો હતો કે10 દિવસમાં તમામને રાહત મળી જશે. પરંતુ આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. લોકો રાહત માટે આજીજીઓ કરી રહ્યા છે.

ગરીબોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા દેખાવો યોજવામાં આવ્યા છે. જો તાત્કાલિક સહાય નહીં મળે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. પ્રતાપનગર વિસ્તારની ભારત વાડીયમુના મિલ ચાલીકુંભારવાડાગાજરાવાડીનવાપુરા વગેરે વિસ્તારમાં રહેતા ગરીબોનું પૂરમાં બધું ખલાસ થઈ ગયું છે. જોકેહજુ પૂરના સર્વે થયા નથી. ગઈકાલે કોર્પોરેશનમાં મેયરે બોલાવેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ સહાય આપવાની માંગ કરી હતીએ જ બતાવે છે કેલોકો હજી સહાયથી વંચિત છે. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારના લોકોને લોલીપોપ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એટલું જ અંહી નહીંરહીશોએ વેદના વ્યક્ત કરી હતી કેજરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તે અત્યંત જરૂરી બન્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.