વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..!

માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા

New Update
વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..!

નવરાત્રીના પાવન અવસરે બાળકો, મહિલાઓ અને પુરુષો સાથે મળીને ગરબે રમતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં વર્ષો જૂની એક પરંપરા અનુસાર, અંબા માતાના ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમતા આવ્યા છે, અને આજ દિન સુધી આ પરંપરા ચાલી આવી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં ભક્તિભાવ પૂર્વક યોજાતા એક માત્ર ગરબા એવા છે, જે ગરબી તરીકે ઓળખાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 150 વર્ષ ઉપરાંતથી અંબા માતાના પ્રાચીન મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે. આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે. તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે આજે પણ પુરુષો ગરબા કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે. જોકે મહિલાઓ અહી ગરબા રમી શકતી નથી.

વડોદરા શહેર વડપત્ર તરીકે જાણીતું હતું, ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી. એટલે જ આ ઘળીયાળી પોળનું બંધારણ અનુસાર, અહીં ઊંચે ઝરૂખામાં બેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા હતી, અને ત્યાંથી તેઓ બેસી ગરબા ગાઈ પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચૂંદડી કે, સાડી ઓઢીને માતાજીની સખી રૂપી ગરબા કરતા હતા. જોકે, આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી રહી છે. સાથે માતાજીના ગરબાની જ્યોત લઈ માતાજીની સામે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે. તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે. જે દર્શાવે છે કે, માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન-મરણના ચક્રમાં તેની આસપાસ ફરતો રહે છે. અહીં શહેરના શ્રદ્ધાળુઓ રોજે રોજ ગરબા રમવા માટે આવે છે, અને ગરબાના અંતમાં લ્હાણી એટલે કે, ભેટ પણ આપવામાં આવે છે. જો તમે પણ માંડવી ખાતે માઁ અંબાના દર્શન કરવા જાવ તો એક ચક્કર ગરબાનો જરૂરથી મારજો, ધન્યતા અનુભવશો...

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.