વડોદરા : સાવલીના તુલસીપુરા-રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલવાના તંત્રના નિર્ણય સામે ગ્રામજનોના ધરણાં...

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સરપંચે ઉગ્ર રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે.

New Update

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સરપંચે ઉગ્ર રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે. આમ પદાધિકારી દ્વારા અધિકારી સામે પ્રશ્ન ઉભો કરતા ભારે સનસનાટી મચી છે.

વડોદરા જિલ્લાના સાવલીનું છેવડાનું ગામ તુલસીપુરા છે. આ પંચાયતમાં સમાવિષ્ટ નરભાપુરારાણેલાભગાના મુવાડાતુલસીપુરા આમ 4 પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે. ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રા. શાળા આવેલ છે. તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રા.શાળા આવેલ છે. પરંતુ વર્ષ 2004માં આ બંને પ્રાથમિક શાળાનું નામ બદલવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્થળની ચકાસણી કર્યા વગર ઓર્ડર કર્યો હતો. જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા. શાળા-1 કરવામાં આવ્યું હતું, જ્યારે તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા.શાળા-2 કરવામાં આવ્યું હતું.

જેનો હાલમાં ગામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરી અને તુલસીપુરા પ્રા. શાળાના તમામ 1997ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી સાવલીને આપવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કરતા સનસનાટી મચી છેત્યારે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણાં પર બેઠા હતા. આ સાથે જ જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.