વડોદરા: વિશ્વામિત્રી નદીના મગરોનો લોકોના ઘરમાં આશરો, 2 મહાકાય મગરનું રેસ્ક્યુ

સંસ્કારી નગરી વડોદરામાં હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે જોકે વિશ્વામિત્રી નદીના મહાકાય મગર લોકોના ઘરમાં આશરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

New Update

સંસ્કારી નગરી વડોદરામાં હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે જોકે વિશ્વામિત્રી નદીના મહાકાય મગર લોકોના ઘરમાં આશરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસ અવિરત વરસેલા વરસાદ બાદ આજે વરસાદે પોરો ખાધો છે. વરસાદ રોકાતાની સાથે જ જનજીવન થોડું સામાન્ય થઈ રહ્યું છે. આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોના ઘરમાં ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે. ઘર માંથી પાણી ઉતરતાની સાથે જ બીજી સમસ્યા લોકો સામે આવી છે. વિશ્વામિત્રી નદીના મહાકાય મગરો લોકોના ઘરમાં આશરો લઈ બેઠા હતા તે સામે આવી રહ્યા છે. વડોદરાના નરહરી હોસ્પિટલ પાસે આવેલ કામનાથ નગરીમાં એક 15 ફૂટનો વિશાળકાય મગર ઘરમાં ઘૂસી આવતા સમગ્ર નગરીમાં ફફડાટ ફેલાયો હતો. મગર આવ્યાની જાણ ખાનગી સંસ્થા અને વન વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિશાળકાય મગરને રેસ્ક્યુ કરી તેને તેના સુરક્ષિત સ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
જ્યારે બીજી તરફ સમા વિસ્તારમાં 10 ફૂટ લાંબો મગર રસ્તા ઉપર આવી ગયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા ખાનગી સંસ્થાને સાથે રાખી સમા વિસ્તાર પહોંચી હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરી તેના સુરક્ષિત સ્થળે ખસેડાયો હતો. મગર એટલો ભયાનક હતો કે તેને રેસ્ક્યુ કરવામાં વન વિભાગ અને ખાનગી સંસ્થાના કર્મચારીઓને મગરને રેસ્ક્યુ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. એક કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત ખસેડવામાં આવ્યો હતો.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.