વડોદરા : અ’વિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

New Update

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફઅનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છેત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવવાની સાથે જ રેલ્વે ગરનાળા બંઘ કરવામાં આવ્યા હતા. ગરનાળા બંધ થવાના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. તો બીજી તરફસયાજીગંજ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક કાર પણ ફસાય હતી. જેતલપુર રોડ પરથી ગટરના ઢાંકણામાંથી પાણીના ફુવારા ઉડતા હોવાના દ્રશ્ય નજરે પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છેત્યારે વડોદરા શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રોડ-રસ્તા પર જાણે નદીઓ વહી રહી છે. તો બીજી તરફવડોદરા શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. સયાજીગંજના ઝાંસી રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 21.50 ફૂટ પર પહોંચી હતી. આજવા સરોવરની સપાટી 212 પણ ફુટ ઉપર પહોંચતા તંત્રની ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.