વડોદરા : અ’વિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

New Update

વડોદરા શહેર તથા જિલ્લામાં વરસેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી. તો બીજી તરફઅનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છેત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવવાની સાથે જ રેલ્વે ગરનાળા બંઘ કરવામાં આવ્યા હતા. ગરનાળા બંધ થવાના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. તો બીજી તરફસયાજીગંજ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં એક કાર પણ ફસાય હતી. જેતલપુર રોડ પરથી ગટરના ઢાંકણામાંથી પાણીના ફુવારા ઉડતા હોવાના દ્રશ્ય નજરે પડ્યા હતા. સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છેત્યારે વડોદરા શહેરમાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રોડ-રસ્તા પર જાણે નદીઓ વહી રહી છે. તો બીજી તરફવડોદરા શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. સયાજીગંજના ઝાંસી રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરમાં પાણી ભરાયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી 21.50 ફૂટ પર પહોંચી હતી. આજવા સરોવરની સપાટી 212 પણ ફુટ ઉપર પહોંચતા તંત્રની ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.