વડોદરા ગેંગરેપ મામલે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે NSUIનો ઉગ્ર દેખાવો...

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

New Update

વડોદરા ગેંગરેપ મામલેNSUI રસ્તા ઉપર ઉતર્યું

ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ

ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં અટકાયત

પૂતળું લેવા કાર્યકર્તા પાછળ પોલીસે દોડવું પડ્યું

ટીંગાટોળી સાથેNSUIના કાર્યકર્તાઓની અટકાયત

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેત્યારે વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ નજીકNSUI દ્વારાહાય રે ભાજપ... હાય હાય...” અનેઆરોપીઓને ફાંસી આપોફાંસી આપો..ના નારા લાગ્યા હતા.NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાંNSUIના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે 8થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જોકેથોડી વાર તો રોડ પર જાણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ટીંગાટોળી સાથેNSUI તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.