વડોદરા ગેંગરેપ મામલે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે NSUIનો ઉગ્ર દેખાવો...

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

New Update

વડોદરા ગેંગરેપ મામલે NSUI રસ્તા ઉપર ઉતર્યું

ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ

ગૃહમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં અટકાયત

પૂતળું લેવા કાર્યકર્તા પાછળ પોલીસે દોડવું પડ્યું

ટીંગાટોળી સાથે NSUIના કાર્યકર્તાઓની અટકાયત

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામ પાસે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છેત્યારે વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ નજીક NSUI દ્વારા હાય રે ભાજપ... હાય હાય...” અને આરોપીઓને ફાંસી આપોફાંસી આપો..ના નારા લાગ્યા હતા. NSUI દ્વારા ભારે સૂત્રોચાર કરી ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં NSUIના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રીના પૂતળાનું દહન કરે તે પહેલાં જ પોલીસે 8થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જોકેથોડી વાર તો રોડ પર જાણે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ટીંગાટોળી સાથે NSUI તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.