-
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છે તણાવપૂર્ણ માહોલ
-
ઇરાનમાંથી માછીમારોની વતન વાપસી
-
વલસાડ નવસારીના માછીમારો વતન પરત ફર્યા
-
સાંસદ ધવલ પટેલના પ્રયાસો સફળ થયા
-
પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી,સરકારનો માન્યો આભાર
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. આ કામગીરી વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી સફળ થઈ છે.
રોજગારી માટે ઈરાન ગયેલા આ માછીમારો અચાનક સર્જાયેલી સંકટ જનક પરિસ્થિતિને કારણે ત્યાં ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી,અને તેમણે સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી.
પરિવારજનોની રજૂઆત મળતા જ સાંસદ ધવલ પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે સતત સંપર્ક સાધીને રાજદ્વારી માધ્યમથી માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી.
આ પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. આ સહયોગના પરિણામે ઈરાનમાં ફસાયેલા તમામ માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવી શકાયા છે.
માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા તેમના પરિવારોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મુશ્કેલ સમયમાં સરકાર અને સાંસદે આપેલા સહકાર બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
