વલસાડ : છેવાડાના ગામડાઓમાં છે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો, કુદરતે પોતાનો જાદુ વિખેર્યો

New Update
વલસાડ : છેવાડાના ગામડાઓમાં છે કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો, કુદરતે પોતાનો જાદુ વિખેર્યો

પ્રકૃતિ પ્રેમીઓ માટે આમ જોવા જઇએ તો દરેક મોસમ ફરવાની મોસમ હોય છે. વરસાદની ઋતુમાં દરેક વ્‍યકિતને કુદરતનું સૌંદર્ય માણવાની ઇચ્‍છા થાય છે, ત્યારે વલસાડ જિલ્લામાં એવા ઘણાં પર્યટન સ્‍થળો છે, જયાં કુદરતે પોતાનો જાદુ વિખેર્યો છે. એવા ગામો છે જયાં પ્રવાસીઓની ભીડ નથી, ફકત પ્રદુષણ મુકત કુદરતી વાતાવરણ અને શાંતિની અનુભુતિ છે.

publive-image

ગુજરાત રાજયના છેવાડાનો જિલ્લો-વલસાડ, વલસાડ જિલ્લામાં વિલ્‍સન હીલ, બરૂમાળ કે પારનેરા ડુંગર વગેરે વિશે તો વલસાડ ગુજરાતભરમાં પ્રખ્‍યાત છે. પરંતુ સજનીબરડા, વાઘવળ કે કપરાડાના છેવાડાના અન્‍ય ગામોમાં નયનરમ્‍ય કુદરતી દ્રશ્‍યો જોવા મળે છે. કુદરતી સાપસીડી સમાન ઘાટના વળાંકવાળા રસ્‍તાઓ ચઢતાં પેટમાં ગુદગુદી ચોક્કસ થાય. પણ ડુંગર ઉપર પહોંચીને ત્‍યાંનો અજારો જુઓ તો મન તરોતાજા થઇ જાય છે. ફેકટરીઓના ધુમાડાની જગ્‍યાએ અવનવા આકાર લેતા સફેદ અને કાળા વાદળો જોવા મળે છે. આ મોસમમાં ઇન્‍દ્રધનુષ્‍ય જોવા મળવું એક મુસાફરીની બોનસ સમાન છે. સોનેરી કિરણ ધરાવતો ઉગતો સૂર્ય હોય કે પછી કેસરીયો સાંજનો સૂર્ય હોય બન્ને દ્રશ્‍યો મનમોહક છે, જે ગામ અને ગામના લોકોમાં રહેલી શાંતી તથા જીવનની સ્‍થિરતાથી આપણો પરિચય કરાવે છે. આસપાસના જંગલોમાં ભ્રમણ કરતા તાજગી ભર્યા વાતાવરણમાં શરીરની પાંચેય ઇન્‍દ્રિયો જાગૃત થઇ જાય છે. જેના થકી કયારેય ધ્‍યાન ન આપ્‍યું હોય તેવી બાબતો જેમ કે, જંગલના નાના-મોટા જીવ જંતુઓ, અવનવા રંગબેરંગી પુષ્‍પો, પક્ષીઓનો કિલકિલાટ પર તમારૂં ધ્‍યાન જાય છ

publive-image

વલસાડથી ધરમપુર ૩૦ કિમી થાય છે. ધરમપુરમાં આવેલુ વિજ્ઞાન કેન્‍દ્ર ગુજરાતમાં સૌથી જુનું અને જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર તરીકેનું સૌ પ્રથમ કેન્‍દ્ર છે. તેની જ બાજુમાં લેડી વિલસન મ્‍યુઝીયમ આવેલું છે. ધરમપુરથી ૭ કિ.મી દુર બરૂમાળ ભાવભાવેશ્વર મહાદેવના મંદીર છે. ત્‍યાંથી આગળ જતા ઘાટવાળા રસ્‍તાઓ આવે છે. ઘાટ પુર થતા પીપરોણી ગામે વાઘવળ રસ્‍તે જાઓ તો વરૂણ દેવ મંદીરના દર્શન કરવાનું ન ભુલાય. આ મંદિર કોઇ ભવ્‍ય ઇમારતો દ્વારા બનાવવામાં નથી આવ્‍યું. પરંતુ શાંત વાતાવરણમાં જેમ સમાધી લગાવીને ઋષિઓ ધ્‍યાન મુદ્રામાં બેઠા હોય તેમ એક ઝુંપડી નીચે વરસાદના દેવ બીરજમાન છે. અહીંથી સનસેટ પણ ખુબ જ આકર્ષક લાગે છે. જયાં સુધી નજર જાય ત્‍યાં સુધી ડુંગરોની હારમાળા દેખાય છે. આ હારમાળા સાથે વાત કરતા વાદળો, વાદળો સાથે ધીમે ધીમે વાતો પવન તનમનમાં અજબ સ્‍ફુર્તી ભરી દે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીમાં ભીડભાડ વાળી જગ્‍યાઓ ઉપર જવાનું ટાળવું જરૂરી છે, એટલે હાલ આ વિસ્‍તારોમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્‍યો છે.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.