/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/03-8.jpg)
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી ૧૬ ડિસેમ્બરે ના સાંજે ૪ વાગે યોજાનારી વિરાટ ધર્મસભા ના સમર્થનમાં અનેક હિન્દુ સંગઠનો સામે આવી રહ્યા છે ત્યારે જામનગરના દરેક હિંદુ ધર્મ પ્રેમી ભાઈઓ આ ધર્મસભાને સફળ બનાવવા માટે કાર્યરત બન્યા.
જામનગરના પાણાખાણ વિસ્તાર તેમજ જનતા ફાટક વિસ્તારના રિક્ષા ચાલકો પણ આ ધર્મ માટે તેઓનું સમર્થન જાહેર કરી રહ્યા છે. અંદાજે બસોથી વધુ રિક્ષાચાલકોએ તેમની રીક્ષામાં બેનર તેમજ ધજા વિનામૂલ્યે લગાડી છે. એટલું જ નહિ પણ સભાના દિવસે એટલે કે ૧૬ ડિસેમ્બરના રોજ તેઓ જે કોઈપણ ધર્મ પ્રેમી ભાઈ-બહેનો અને વડીલો આ ધર્મ સભામાં જવા માંગતા હોય તેઓને પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી આવવા-જવાની વિનામૂલ્યે સેવા આપનાર છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ પ્રકારે સમાજનો દરેક વર્ગ દરેક હિંદુ પ્રેમી તેઓનું સમર્થન અને સહકાર આપી રહ્યા છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ફલિયાએ વધુમાં વધુ સંગઠનો આ ધર્મમાં જોડાય તે પ્રકારની અપીલ કરી હતી.