ભરૂચ: ઐતિહાસિક ભાગકોટના ઓવારા સ્થિત ઝૂલેલાલ મંદિરે ચેટીચંદના પર્વની ઉજવણી, ભાગલાના સમયથી પ્રગટે છે અખંડ જ્યોત

ભરૂચના ઝૂલેલાલ મંદીર ખાતે ચેટીચંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વની ઉજવણી

  • ઝૂલેલાલ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું

  • ભાગલા સમયથી પ્રગટે છે અખંડ જ્યોત

  • જળ અને જ્યોતિનું પૂજન કરવામાં આવ્યું

ભરૂચનાં ઐતિહાસિક ભાગાકોટનાં ઓવારે આવેલા ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદીરે જિલ્લા અને રાજયભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે.હિંદુસ્તાનનાં ભાગલા વખતે સીંધ (પાકિસ્તાન) થી લવાયેલી અખંડ જયોત આજે 78 વર્ષથી અહીં પ્રજવલિત છે. ચેટીચંદ નિમિતે દિવસ ભર ભજન-ર્કિતન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝૂલેલાલ પંથના 26માં ગાદીપતિ ઠકુર સાઈ મનિષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા, મેળો, ભંડારો યોજાયો હતો.ભારતનાં ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સીંધથી 24માં વંશજ પૂજય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ 1947 માં અખંડ જયોત લઇ ભરૂચના ભાગકોટ ખાતે આવ્યા હતા.જ્યાં તેમણે જયોત સ્વરૂપની સ્થાપના કરી હતી.
Read the Next Article

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર, PM મોદી ચેકર્સ ખાતે કીર સ્ટારમરને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે.

New Update
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ કિંગડમ મુલાકાત દરમિયાન ગુરુવારે ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા. મોદીએ લંડન નજીક ચેકર્સ ખાતે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા, જે યુકેના વડા પ્રધાનનું સત્તાવાર ગ્રામીણ નિવાસસ્થાન છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને બ્રિટનમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકેના બજારમાં નવી તકો ઊભી થશે. આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે. બીજી તરફ, ભારતના લોકો અને ઉદ્યોગ માટે, તબીબી સાધનો જેવા બ્રિટનમાં બનેલા ઉત્પાદનો વાજબી અને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે.'

આ કરારને ભારત અને યુકે વચ્ચે આર્થિક વિકાસ અને નવી રોજગારીની તકોની ચાવી માનવામાં આવી રહી છે. આ ભારતના યુવાનો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તકોમાં વધારો કરશે. સરકારી અધિકારીઓના મતે, આ કરારથી માહિતી ટેકનોલોજી (IT), IT-સેવાઓ, નાણાકીય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ (જેમ કે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ), અને શિક્ષણ સંબંધિત સેવાઓને સીધો ફાયદો થશે. આ કરાર હેઠળ, ભારતના શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રો જેમ કે કાપડ, ચામડું, જૂતા, ફર્નિચર, રત્નો અને ઘરેણાં અને રમતગમતના સામાનને યુકે બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ મળશે. હાલમાં, બ્રિટન દર વર્ષે $23 બિલિયનથી વધુ મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરે છે, જે ભારતના ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો કરી શકે છે.