અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ, પ્રથમ વખત અમેરિકાની આવી પ્રતિક્રિયા...

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી

New Update
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ, પ્રથમ વખત અમેરિકાની આવી પ્રતિક્રિયા...

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશ તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સૈનિકોએ ચીનની ચાલાકીને ધોબીપછાડ આપીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા હતા. પરંતુ હજુ પણ સ્થિતિ ચિંતાજનક કહી શકાય. આ સમગ્ર વિવાદ પર હવે અમેરિકા પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

એવું કહેવાયું છે કે, બાઈડેન પ્રશાસન એ વાતથી ખુશ છે કે, ભારત અને ચીનના સૈનિકો જલદી ડિશ એન્ગેજ થઈ ગયા. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયર કહ્યું કે, સ્થિતિ પર અમેરિકાની બાજ નજર છે અને બન્ને પક્ષોએ વિવાદિત સરહદો પર ચર્ચા માટે હાલની દ્વિપક્ષીય ચેનલનો ઉપયોગ કરવો જોઈએ. તો બીજી તરફ, પેન્ટાગન પ્રેસ સચિવ પેટ રાઈડર કહ્યું કે, અમે જોયું છે કે, પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) એલએસી સાથે સાથે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું નિર્માણ ચાલુ રાખ્યું છે. અમારી સ્થિતિ પર નજર છે. અમેરિકાએ કહ્યું કે, અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. અમે સ્થિતિ નિયંત્રિત કરવાના ભારતના પ્રયત્નોનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ. અત્રે જણાવવાનું કે, અરુણાચલ પ્રદેશ તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં બન્ને પક્ષના જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ ચીનના તમામ નાપાક મનસૂબાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

Read the Next Article

ઇઝરાયલ-ઈરાને એકબીજા પર મિસાઇલો છોડી, અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી

ઈઝરાયલી વાયુસેના (IDF) એ દાવો કર્યો છે કે તેના 20 ફાઇટર જેટ્સે ઈરાનના કરમાનશાહ, હમાદાન અને તેહરાન શહેરો પર બોમ્બમારો કર્યો IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ જાહેર કરીને આ હુમલાની માહિતી આપી

New Update
Israel-Iran fire missiles
ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ પછી પરિસ્થિતિ વધુ વણસી છે. 23 જૂનની વહેલી સવારે, ગુપ્ત માહિતીના આધારે, ઇઝરાયલી વાયુસેનાના 20 ફાઇટર જેટ્સે ઈરાનના અનેક ભાગો પર બોમ્બમારો કર્યો. બીજી તરફ, ઈરાને પણ ઈઝરાયલ સામે બદલો લીધો છે. આ ઉપરાંત, ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં શું અપડેટ્સ છે? ચાલો જાણીએ.

ઈઝરાયલી વાયુસેના (IDF) એ દાવો કર્યો છે કે તેના 20 ફાઇટર જેટ્સે ઈરાનના કરમાનશાહ, હમાદાન અને તેહરાન શહેરો પર બોમ્બમારો કર્યો છે. IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ જાહેર કરીને આ હુમલાની માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે હુમલામાં ઈરાનના મિસાઇલ સ્ટોરેજ અને લોન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેહરાન નજીક સ્થિત હવાઈ હુમલાઓ અને સપાટીથી હવામાં મિસાઇલ લોન્ચર્સ શોધતી રડાર અને સેટેલાઇટ સિસ્ટમ્સ પણ આ હુમલાની રેન્જમાં હતી.

ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હુમલા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાસન પરિવર્તનની વાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, રાજ્ય પરિવર્તન શબ્દનો ઉપયોગ કરવો રાજકીય રીતે યોગ્ય નથી. પરંતુ જો વર્તમાન શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં સક્ષમ નથી, તો શા માટે શાસન પરિવર્તન ન થવું જોઈએ?

ટ્રમ્પે 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' ની તર્જ પર 'મેક ઈરાન ગ્રેટ અગેઇન' નો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનમાં શાસન પરિવર્તનની વાતને નકારી કાઢી હતી. પેન્ટાગોનમાં મીડિયા સાથે વાત કરતા, હેગસેથે કહ્યું, આ મિશન શાસન પરિવર્તન માટે નહોતું. તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લક્ષ્ય બનાવતું ચોક્કસ અભિયાન હતું.

તે જ સમયે, એનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં, જેડી વાન્સે કહ્યું, અમારો એજન્ડા ખૂબ સ્પષ્ટ છે, અમે ઈરાનમાં શાસન પરિવર્તન ઇચ્છતા નથી. અમે આ બાબતને વધુ ખેંચવા માંગતા નથી. અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમને બંધ કરવા માંગીએ છીએ. અને તેમની સાથે લાંબા ગાળાના કરાર વિશે વાત કરવા માંગીએ છીએ.

યુએસ લશ્કરી અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન સમર્થિત લશ્કરો ઇરાક અને સીરિયામાં યુએસ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. આ ચેતવણી ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર યુએસ હુમલાઓ પછી આવી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી થાણાઓની સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે. અને કોઈપણ સંભવિત હુમલાનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાએ ઈરાન પર યુએસ હુમલાને ટેકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગે 23 જૂને કહ્યું હતું કે, કેનબેરા ઈરાન પર યુએસ હુમલાને ટેકો આપે છે. અને તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પદ્ધતિઓ પર પાછા ફરવાની અપીલ કરે છે.

વિદેશ પ્રધાન પેની વોંગે વધુમાં કહ્યું હતું કે તેમનો દેશ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવા માટે યુએસ હુમલાને ટેકો આપે છે. અને ઈરાનને વાટાઘાટોના ટેબલ પર આવવા હાકલ કરે છે.

વોશિંગ્ટન સ્થિત માનવાધિકાર કાર્યકરોના એક જૂથે અહેવાલ આપ્યો છે કે ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 950 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 3,450 લોકો ઘાયલ થયા છે. જૂથ અનુસાર, મૃતકોમાં 380 નાગરિકો અને 253 સુરક્ષા દળોના કર્મચારીઓ છે. બીજી તરફ, ઈરાનના મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 24 ઇઝરાયલીઓ માર્યા ગયા હોવાના અને 1,000 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

23 જૂનની વહેલી સવારે, ઇઝરાયલે ઇરાનના અનેક શહેરો પર બોમ્બમારો કર્યો. આ હુમલા પછી, ઇરાને પણ ઇઝરાયલ પર નવા મિસાઇલ હુમલાઓ કરીને બદલો લીધો. ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ કરી છે. ઇઝરાયલે દાવો કર્યો હતો કે ઇરાનથી ફક્ત એક જ બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હતી, જેને સંરક્ષણ દળો દ્વારા સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. આ હુમલો તેલ અવીવ નજીક થયો હતો.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલ છોડવા માંગતા અમેરિકન નાગરિકો માટે ઇમરજન્સી ફ્લાઇટ્સની સંખ્યા બમણી કરી દીધી છે. અને લેબનોનમાં યુએસ દૂતાવાસમાં હાજર બિનજરૂરી કર્મચારીઓને પાછા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિભાગે સાઉદી અરેબિયા અને તુર્કીમાં અમેરિકન નાગરિકોને વધારાની સાવચેતી રાખવા ચેતવણી જારી કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં, રશિયાના પ્રતિનિધિએ ઇરાન સામે યુએસ કાર્યવાહીને બેજવાબદાર, ખતરનાક અને ઉશ્કેરણીજનક ગણાવી છે. રશિયાએ ઇઝરાયલ અને અમેરિકાને તાત્કાલિક આક્રમક કાર્યવાહી બંધ કરવાની અપીલ કરી છે.

રશિયા ઉપરાંત, ચીને પણ સુરક્ષા પરિષદની બેઠકમાં યુએસ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો, ખાસ કરીને ઇઝરાયલે તાત્કાલિક ગોળીબાર બંધ કરવો જોઈએ. ચીને બધા દેશોને સંયમ રાખવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી છે, જેથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.