Connect Gujarat
દુનિયા

જાપાન આજથી દરિયામાં છોડશે રેડિયોએક્ટિવ પાણી, આગામી 30 વર્ષ માટે 133 કરોડ લિટર પાણી છોડવામાં આવશે….

24 ઓગસ્ટથી એટલે કે આજથી આગામી 30 વર્ષ સુધી જાપાન દરરોજ 5 લાખ લીટર રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડશે.

જાપાન આજથી દરિયામાં છોડશે રેડિયોએક્ટિવ પાણી, આગામી 30 વર્ષ માટે 133 કરોડ લિટર પાણી છોડવામાં આવશે….
X

24 ઓગસ્ટથી એટલે કે આજથી આગામી 30 વર્ષ સુધી જાપાન દરરોજ 5 લાખ લીટર રેડિયોએક્ટિવ પાણી દરિયામાં છોડશે. 12 વર્ષ પહેલા 2011માં ભૂકંપ અને સુનામીના કારણે ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો.

ત્યારથી અત્યાર સુધીમાં ત્યાં 133 કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી એકઠું થયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ત્યાં એકઠું થયેલું પાણી 500 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ જેટલું છે. જાપાને આ પાણીને દરિયામાં છોડવાની વાત કરતા જ ચીન અને દક્ષિણ કોરિયાના લોકો ડરી ગયા છે. 11 માર્ચે સવારે 3.42 વાગ્યે જાપાનમાં 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દરિયાઈ સ્તર સરકવાને કારણે સુનામી આવી હતી. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ ફુકુશિમામાં દરિયા કિનારે બનેલા ન્યુક્લિયર પ્લાન્ટના રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. રિએક્ટરને ઠંડુ કરવા માટે જનરેટર શરૂ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી જનરેટર ગરમ રિએક્ટરને ઠંડુ કરી શકે તે પહેલાં, પાણી પ્લાન્ટમાંફરી વળ્યું હતું. આ પછી ઈમરજન્સી જનરેટર બંધ થઈ ગયું હતું જેના કારણે હોટ રિએક્ટર ઓગળવા લાગ્યું. થોડા સમય પછી, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભયંકર વિસ્ફોટ થવા લાગ્યા. પરમાણુ રિએક્ટરમાં ચેઈન રિએક્શનને રોકવા માટે આગામી કેટલાક મહિનાઓ સુધી તેને 133 કરોડ લિટર દરિયાઈ પાણી સાથે ઠંડુ રાખવામાં આવ્યું હતું.

Next Story