Connect Gujarat
દુનિયા

મ્યાનમાર : સેનાએ નાગરિકોની ભીડ પર બોમ્બમારો કર્યો, બાળકો સહિત 100 થી વધુના મોત..!

મ્યાનમારની સેનાએ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો.

મ્યાનમાર : સેનાએ નાગરિકોની ભીડ પર બોમ્બમારો કર્યો, બાળકો સહિત 100 થી વધુના મોત..!
X

મ્યાનમારની સેનાએ મંગળવારે સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો સહિત ડઝનબંધ લોકો માર્યા ગયા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં 100 થી વધુ લોકો માર્યા ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન લશ્કરી શાસનના વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે અને તેમાં સામાન્ય લોકો પણ હાજર હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, મ્યાનમારની સેનાએ એક ગામ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. જેમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.

સંયુક્ત રાષ્ટ્રએ નાગરિકો પર મ્યાનમારના લશ્કરી હવાઈ હુમલાની નિંદા કરી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હવાઈ હુમલાના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતોના કાર્યક્રમમાં નૃત્ય કરતા શાળાના બાળકો અને ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા અન્ય નાગરિકો સામેલ હોવાનું જણાયું હતું, જેના પર લશ્કરી હેલિકોપ્ટર દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

Next Story