/connect-gujarat/media/post_banners/1deb14d381b65aa478a25dcc9f33f20aa4eaf07caa706d48b81ce606b819499c.jpg)
વિદેશમાં ભારતીય નાગરિકો પર ફરી એકવાર હુમલાનો બનાવ સામે આવ્યો છે.આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચ 3 વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે
વિદેશમાં ભારતીય નાગરીકો પર લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.લૂંટ કરવા આવેલ નિગ્રો લૂંટારુ દ્વારા ભરૂચ તાલુકાના 3 લોકો ઉપર ગોળી મારી લૂંટ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનામાં ઇજાગ્રસ્તો ભરૂચના ટંકાકારીયા અને વડવા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર આપી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ અંગેની જાણ થતાં જ ભરુચ ખાતે રહેતા ઇજાગ્રસ્તોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો